
- યુવાઓની ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.
- સેનાની ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ભવિષ્ય માટે બીજી તકો આપવામાં આવશે.
- ચાર વર્ષની નોકરી પછી સેના નિધિ પેકેજ મળશે.
- આ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલા મોટાભાગના યુવાનોને ચાર વર્ષ પછી મુક્ત કરી દેવામાં આવશે. જોકે કેટલાક જવાન પોતાની નોકરી યથાવત્ રાખી શકશે.
- 17.5 વર્ષથી 21 વર્ષના યુવાઓને તક આપવામાં આવશે.
- ટ્રેનિંગ 10 સપ્તાહથી લઇને 6 મહિના સુધી રહેશે.
- 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
- જો કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
- જો કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
- આખા દેશમાં મેરિટના આધારે ભરતીઓ થશે. જે લોકો આ ભરતીમાં પસંદ થશે તેમને ચાર વર્ષ માટે નોકરી મળશે.
કેટલી રહેશે સેલેરી
રક્ષા મંત્રાલયના મતે અગ્નિપથ યોજના અંતર્ગત યુવાઓને પ્રથમ વર્ષે 4.76 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધી વધીને 6.92 લાખ સુધી પહોંચી જશે. આ સિવાય અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે, ચાર વર્ષની નોકરી પછી યુવાઓને 11.7 લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે. જેના પર કોઇ ટેક્સ લાગશે નહીં.